ગુરુવાર, 22 જુલાઈ, 2010

૨૦૧૦ના પૂર્વાર્ધમાં વિનાશક ભૂકંપો

ભૂકંપની નોંધપાત્ર ઘટનાઓ દર્શાવતો પ્રતિનિધિરૂપ નકસો ( જાન્યુઆરી ૨૦૧૦ થી જુન ૨૦૧૦ )

Image: Quakeschool 2010

એ હવે જાણીતું છે કે ભૂકંપ વિશ્વભરમાં એક સામાન્ય ઘટના બની ગઈ છે અને જે ઘટનાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં જાનમાલની હાનિ થાય છે તે જાણીતી બને છે. સામાન્ય માનવીનો ઇન્ટરનેટ જેવા માઘ્યમ અને સંદેશા-વ્યવહારના સાધનો સાથે વધતો જતો સંપર્ક કદાચ આ ઉદ્વેગ અને ચિંતા પેદા કરનારું એક મુખ્ય કારણ છે. ટેકનિકલ અવલોકનો ઉપર પણ પ્રભાવ પાડનારી આ અસરનો એક રસપ્રદ અભ્યાસ [હોઘ, માર્ટીન, બિલ્હામ અને એટકિન્સન] દ્વારા કરવામાં આવ્યો છે.

જોકે, ઇન્ટરનેટના આ જ સ્રોતનો સાવચેતીભર્યો ઉપયોગ કરીને આપણે નીચે પ્રમાણેનું કોષ્ટક રચી શકીએ છીએ. આ કોષ્ટક અને ઉપરનો નકશો વર્તમાન વર્ષ (૨૦૧૦) ના પ્રથમ ત્રિમાસિકમાં આવેલા વિનાશક ભૂકંપો દર્શાવે છે.

શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓની મિલકતોને થયેલા નુકસાન, જાનહાનિ અને ઇજાઓ પર અહીં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ભૂકંપો ક્યારે થયા તેનો સમય પણ નોંધવામાં આવેલ છે.

અમે અહીં કોઈ તારણો આપવા માગતા નથી. અમે તો માત્ર વાંચકોના વિચાર ને સ્થાન આપવા માંગીએ છીએ.

નોંધપાત્ર નુકસાન કરનારા ભૂકંપ દર્શાવતું કોષ્ટક

ક્રમ

સ્થાનિક સમય

વૈશ્વિક તારીખ (૨૦૧૦)

તીવ્રતા

સ્થળ

જાનહાનિ *

શાળા (જાનહાનિ/ઇજા/ઇમારત નુકસાન)*

સવારે

0૪:૫૩

૧૨ જાન્યુઆરી

.

હૈતી ક્ષેત્ર

૨,૩૩,૦૦૦

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય

અંદાજે ૫૦૦૦ શાળાકીય ઇમારતોને અસર

સવારે ૦૩:૩૪

૨૭ ફેબ્રુઆરી

.

ચીલીનું માઉલે ક્ષેત્ર

૪૩૨

થી

૭૦૦

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય/રજાનો સમય શાળાકીય મિલકતને નુકસાન અંગેના વિવિધ અખબારી અહેવાલો. અંદાજે ૧૦૦૦ શાળાઓને નુકસાન થવાનો કાચો અંદાજ.

બપોરે ૧૨:૪૫

૨૭ ફેબ્રુઆરી

.

સાલ્ટા, આર્જેન્ટિના

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નાના મકાનો જેવા કે ઝૂંપડા કે કાચા મકાનોને નુકસાન થયું હતું. કોઈ આંકડા ઉપલબ્ધ નથી.

સવારે ૦૪:૩૨

૮ માર્ચ

.

ઓકયુલર, એલાઝિગ પ્રાંત, તૂર્કી

૫૭

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય.

કોઈ જાનહાનિ કે ઇજા નહીં:

ક્ષેત્રમાં મોટેભાગે જોવા મળતી એક માળની વિશિષ્ટ (શાળાઓની વિશિષ્ટ) ઇમારતોને નુકસાન થયું. કોઈ આંકડાઓ ઉપલબ્ધ નથી.

સવારે ૦૭:૩૯

૧૧ માર્ચ

.

પિચિલેમુ, ચીલી

નોંધ: શાળાના કામકાજ સિવાયનો સમય.

કોઈ જાનહાનિ કે ઇજા નહીં:

ઇમારતોને ઓછું નુકસાન થયું હોવાનું જણાય છે.

બપોરે ૦૩:૪૦

૪ એપ્રિલ

.

બૅજા કેલિફોર્નીયા, મેક્સિકો

કોઈ જાનહાનિ કે ઇજા નહી. ઇમારતોને ઓછું નુકસાન થયું હોવાનું જણાય છે, પરંતુ કેટલીક શાળાઓને નુકસાન થયું.

સવારે ૦૭:૪૯

૧૩ એપ્રિલ

.

દક્ષિણી ક્વિન્ગહાઈ, ચીની ક્ષેત્ર

૨,૨૦૦

જાનહાનિ: શાળાના લગભગ ૬૦ થી ૧૦૦બાળકો.

ઇજા: અંદાજે ૭૦૦ બાળકો.

ખરાબ બાંધકામનો વાંક.

શાળાઓના અંદાજે ૧૦ મકાનોના સંપૂર્ણ નાશ સાથે ખરાબ બાંધકામનો વાંક કઢાયો.

સવારે ૦૪:૫૮

૧૮ એપ્રિલ

.

અફઘાનિસ્તાન ક્ષેત્ર

૧૦

કોઈ જાનહાનિ કે ઇજા નહીં.

નોંધ: શાળાના કામકાજ સિવાયના સમય માં.

અંદાજે ૨૦ શાળાકીય ઇમારતો ને નુકશાન.

બપોરે ૧૨:૧૬ અને ક્રમબદ્ધ

૧૬ જુન

.

પાપુઆ, ઇન્ડોનેશીયા

૧૭

જાનહાનિ કે ઇજાના કોઈ આંકડા મળી શક્યા નહોતા, સંભવિત કારણ એ હતું કે એ દિવસે રવિવાર હતો. અંદાજે ૫૦ શાળાકીય ઇમારતો ને નુકશાન.

*નોંધ

*
કેટલીક સંખ્યાઓ અંદાજીત અને તેના માપદંડો સર્વસાધારણ હોઈ શકે છે. સંદેશા વ્યવહારની સરળતા માટે આ કરવામાં આવ્યું છે.

**આ એક સરળ બનાવાયેલું કોષ્ટક છે, તેથી મુશ્કેલ એકમો બાકાત કરવામાં આવ્યા છે. વધુ વિગતો માટે, સંદર્ભો જુઓ.

સંદર્ભો

  1. ૨૦૧૦ ભૂકંપોની વિકિપીડીયા યાદી (21st Century Earthquakes)
  2. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (http://earthquake.usgs.gov )
  3. ઇન્ટરનેટપરના વિવિધ સ્રોતો (અખબારી સમાચાર/અહેવાલો)

સોમવાર, 21 જૂન, 2010

ભાગદોડના જોખમ

આ બ્લોગ-પત્ર અમારા આગળ નાં બ્લોગ-પત્ર ની ચર્ચા છે. અમારા મિત્રોએ જે બાબત યોગ્યપણે જણાવી છે અને જેની સાથે અમે સંમત છીએ તે પ્રમાણે, શાળાઓમાં સુરક્ષા કવાયતો જિંદગીઓ બચાવવાની દિશામાં ચોક્કસપણે આગળ લઈ જવાનો એક પ્રયત્ન છે. આ ચર્ચા ચાલુ રાખવાની પણ અમારી ઇચ્છા છે, કારણ કે અમને લાગે છે કે અમારા છેલ્લા લેખ માં કેટલાક સવાલોના જવાબો અપાયા નહોતા. એ નીચે પ્રમાણે છે:

1. શાળાઓમાં આવી સામૂહિક સ્થળાંતર કવાયતો કરાવતી વખતે ભાગદોડની સંભાવના કેટલી

2. ડ્રોપ-ડક-કવર-હોલ્ડ સિવાય અન્ય પદ્ધતિઓ કઈ છે?

3. વિકાસશીલ દેશોના સત્તાવાળાઓ આવી કવાયતો હાથ ધરવા માટે સજાગ કેમ નથી?

ઉપરોક્ત છેલ્લા બે સવાલોના જવાબો આપવાનું કામ આ વિષયના ચોક્કસ નિષ્ણાતો ઉપર છોડી દઇને આપણે પ્રથમ સવાલ અંગે એક દ્રષ્ટિકોણ ચોક્કસપણે રજુ કરી શકીએ એમ છીએ.

જવાબ છે, ભાગદોડની સંભાવના અત્યંત ઓછી છે, પરંતુ કદાચ આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર છે.

એક ખોટી ચેતવણીથી આતંક સર્જાઈ શકે છે, તો પણ સ્થળાંતર કવાયતો અને વાસ્તવિક આપત્તિ (કુદરતી) ઘટનાઓ મોટેભાગે સંકલિત ઘટનાઓ છે. સંભાવના શૂન્ય હોઈ શકે છે, પરંતુ ભીડવાળી જગ્યાઓ પર ભાગદોડ મચી શકે છે. ભીડનું સંચાલન આનો એક જવાબ છે અને સંશોધનો ચાલુ છે અને સભાનતા વધતી જાય છે. ઉદાહરણરૂપે જુઓ, ગઈ સદીમાં ભાગદોડ સંબંધિત થયેલી ત્રીસ ઘટનાઓ અંગે વિકિપીડિયા સૂચી અને હવે પ્રથમ જ દાયકામાં બનેલી ત્રીસ ઘટનાઓ. એક બાબત આપણે નોંધી શકીએ છીએ કે આવી માહિતી અંગેની આપણી જાણકારી હવે વધી છે. બીજી બાબત એ નોંધવા જેવી છે કે પ્રાણીઓની જેમ કે પછી તેમનાથી વિપરીતપણે, માણસો પણ કોઈ સ્થળે ઉપસ્થિત રહેવાના ઉદ્દેશ્યની સ્પષ્ટ વૃત્તિ ધરાવતા ના હોય, ત્યારે અવ્યવસ્થા અને ભાગદોડનો ભોગ બને છે. હુલ્લડો જેવી ઘટનાઓ, રમતગમતના પ્રસંગે એકત્રિત મેળાવડો કે પછી ધાર્મિક પ્રસંગ જેવી ઘટનાઓ આ સૂચી માં આપેલા ઉદાહરણો માત્ર છે. અન્ય ઉદાહરણોને બહારના ઉદાહરણો તરીકે ગણી શકાય. સદનસીબે, જ્યાં શિક્ષણ અને તેના સ્થળો ગંભીરતાપૂર્વક લક્ષમાં લેવાય છે, ત્યાં આવી મોટાભાગની સમસ્યા સતર્કતા અને નિવારણના ઉપાયો માત્રથી ટાળી શકાય છે.

ભીડવાળી જગ્યામાં આપાતકાલીન આયોજન, નાના રસ્તાઓ, અડચણો કે અડચણોનો અભાવ, નિયંત્રિત ભીડ પ્રવાહ, સંતુલિત ભીડ પ્રમાણ (કે ગતિવિધિ) પર કાર્ય આના કેટલાક ઉદાહરણો છે.

અને, શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એવા સ્થળો છે, જ્યાં આ બધું શીખવી શકાય.
--
ભાગદોડ, વૈજ્ઞાનિક રીતે (વધારે સચોટપણે ભૌતિકશાસ્ત્રમાં) 'આવેગ'(Impulse) નામના એક શબ્દના ક્ષેત્ર હેઠળ આવતી બાબત છે. આવેગને એક શરીરની ગતિવિધિમાં આવતા ‘પરિવર્તન’(Change in Momentum) તરીકે અને બીજા શબ્દોમાં કહીએ તો સંબંધિત શરીરોના ‘દ્રવ્યમાન’(Mass) અને ‘વેગમાં’(Velocity) થતા પરિવર્તન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. અને જ્યારે ઘણા બધા શરીરો હોય છે, ત્યારે વિવિધ પ્રકારની ઝડપ અને દ્રવ્યમાન હોય છે જ અને આ શરીરો એકબીજા સાથે અથડાશે.

કુદરતની પણ ઉપરવટ જઇને માણસ કદાચ નીચેની બે રીતે કાર્ય કરી શકે છે:

1. તેની ઝડપના ફેરફારને અંકુશિત કરીને
2. તેના વજનને ઘટાડીને

બહાર જતી વખતે સહાજિકપણે વર્તો, એટલું જ નહીં તમારી ઝડપને અંકુશમાં રાખો અને બીજા પરથી તમારા વજનને હટાવો. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે આપાતકાલીન ઘંટડી વાગે ત્યારે સાથે મળીને સહજતા અને શાંતિપૂર્વક વર્તો.
--
સંદર્ભો: