શુક્રવાર, 22 ઑક્ટોબર, 2010

ભારતીય ઉપખંડમાં ભૂકંપનું જોખમ – ભૂકંપ ક્ષેત્રનો નકસો અને તેની ક્ષેત્રીય અસર

આપણાં ભારત દેશમાં લગભગ ૬૦ ટકા લોકો સીધેસીધા ભૂકંપના જોખમનો સામનો કરી રહ્યા છે. વર્તમાનમા વિશ્વની વસ્તી ના લગભગ ૨૦ ટકા ઉપખંડ માં રહે છે, અને વસ્તીમાં ૧૦ ટકા થી ૧૫ ટકા દશકીય વૃદ્ધિ થાય છે. ઈન્ટરનેટ લિંક (વિકિપીડિયા) આ બતાવે છે. છેલ્લા ૬૦ વર્ષો માં ભારતમાં થયેલા વસ્તીવધારા માટે નીચેની આકૃતિ જુઓ. પછી ની આકૃતિ ઉપખંડમાં તુલનાત્મક વસ્તીવધારો દર્શાવે છે.


ભારતમાં વસ્તીવધારો દર્શાવતી આકૃતિ (સ્રોત: ગુગલ વર્લ્ડડબેન્ક સૂચકો)



ભારતમાં વસ્તીવધારો દર્શાવતી આકૃતિ (સ્રોત: ગુગલ વર્લ્ડડબેન્ક સૂચકો)

વસ્તીવધારાનો આ દર અને તેને સબંધિત બાંધકામ સંરચનાઓની ગુણવત્તાના પ્રશ્નને કારણે જે જોખમ છે તેના પર એક સમાંતર તર્ક કરી શકાય, કે હકીકતમાં દક્ષિણ એશિયામાં વધતી જતી અર્થવ્યવસ્થાઓની પરિસ્થતિઓની હાલત ખરાબ છે?

આંકડાકે વિવાદોમાં પડવું અને છેવટે તેમાં ખોવાઈ જવું સહેલું છે. અથવા ક્ષેત્રીય નકશાને આશા સાથે જુઓ. આ બ્લોગ પોસ્ટની પ્રેરણા ભારતના ભૂકંપ ક્ષેત્રના નકશા પરથી મળી છે. જોખમી ક્ષેત્રો (ઝોન ૫) લાલ રંગમાં જોવા મળે છે, અને તે સ્પષ્ટપણે અલગ તરી આવે છે. આકૃતિ પરથી જાણી શકાશે કે ઝોન ૫ ઝોન ૨ કરતાં વધારે જોખમી છે. લાલ રંગ સૌનું ધ્યાન ખેંચે છે અને આવા ઝોનિંગથી સરળતાથી અમલ થઈ શકે છે. એમાં એક હકીકતનું પણ પ્રતિબંબ પડે છે કે ભારતના ભૂકંપ નકશામાં હવે માત્ર ચાર ક્ષેત્રો છે, આ સરળીકરણ ૨૦૦૧ ના ગુજરાતના દુર્ભાગ્યપૂર્ણ ભૂકંપ પછી ભારતની વિશાળ બહુલતાના સંદર્ભમાં અમલીકરણને સહાયભૂત થવા કરવામાં આવ્યું છે. ભારતીય માનક બ્યુરો અને તેની સાથે ડો. આર્ય અને અન્ય વરિષ્ઠ નિષ્ણાતો તેમજ ઘણા વૈજ્ઞાનિક દેશમાં ભૂકંપ અને તેને સંબંધિત કુદરતી આપત્તિઓને કારણે સર્જાતી અસુરક્ષા ઘટાડવા સખત અને ખંતીલું બૌદ્ધિક કાર્ય કરી રહ્યા છે.



ભારત દેશમાં ભૂકંપ ઝોન
સ્ત્રોત: ગૂગલ. પ્રાથમિક સ્ત્રોત: ભારતીય માનક બ્યુરો

એવી દલીલ થઈ શકે કે ભૂપૃષ્ઠ, રાજકીય સંકલ્પ, ટેકનોલોજિકલ ક્ષમતાઓ, અને વૃદ્ધિ કે વિકાસલક્ષી મુદ્દાઓ જેવા મોટા પરિબળો આવનારા વર્ષોમાં અમલીકરણને પડકાર આપવાનું ચાલુ રાખશે. ઉપરાંત લાલ રંગથી અલગ પાડી શકે છે, જ્યાં તાકીદનો હસ્તક્ષેપ અતિ આવશ્યક છે એવા ઉત્તર પૂર્વીય રાજ્યો, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ અને બિહારને સ્પષ્ટપણે જોઈ શકે છે. ઉપખંડમાં કાશ્મીર (૨૦૦૫) અને કચ્છ (૨૦૦૧) ખાતે તાજેતરમાં થયેલી વિનાશકારી ઘટનાઓ જાણીતી છે. કદાચ આ રાજ્યોની અગ્રતા માટે એક સ્વતંત્ર પરંતુ એક સબંધિત રૂપરેખાનો આધાર થઈ શકે છે.

જમીન પરની કહેવાતી મુશ્કેલ વાસ્તવિકતાઓ વચ્ચે વધારે મજબૂત સંકલન આ ‘ટાઇમ બોમ્બ’ ને ખાળવા માટે જરૂરી છે. વર્ષ ૨૦૦૪, એક સુંદર મૃદુ પર્વતીય શહેર શીમલા (ક્ષેત્ર ) માં એક વરિષ્ઠ અધિકારી સાથેની બેઠક દરમિયાન તેમણે કહેલું કે, ‘‘આપણે એક ટાઇમ બોમ્બ પર બેઠા છીએ.’’ શીમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે અને લાલ રંગ ધરાવતા રાજ્યમાં આવેલું છે.