સોમવાર, 24 ઑક્ટોબર, 2011

સિક્કિમ,ભારત ભૂકંપ માટે ઈજનેરી પાઠ (તીવ્રતા-૬.૯ )


મેં તાજેતર માં ૧૮ સપ્ટેમ્બર ના ભૂકંપ પછી મારી સિક્કિમ ની યાત્રા પૂરી કરી.યાત્રા ના થોડા હેતુ હતા જે નીચે મુજબ છે.

૧ . આ ક્ષેત્રમાં ઇમારતો અને માળખાઓને થયેલા નુકસાન અંગે સમજ પ્રાપ્ત કરવી.

૨. આ ઘટનાની અસર સમજવા ‘શાળાની ઇમારતો’ અને અન્ય સંસ્થાગત વ્યવસ્થાઓની મુલાકાત લેવી.

૩. આપત્તિ પ્રતિભાવ પ્રણાલી કેવી રીતે કામ કરે છે તે નિહાળવું.

વિસ્તૃત રિપોર્ટ જાણવા માટે આપેલ લિંક ક્લિક કરો.


મારા ફિલ્ડ ના અનુભવો અને યાત્રા દરમ્યાન ત્યાના લોકો સાથે ની વાતચીત ના આધારે થોડી ભલામણો અને નિષ્કર્ષ, જે નીચે મુજબ છે.

૧. મોટી ઇજનેરી કંપનીઓ, ગંગટોકની યુનિવર્સિટીઓ,અને વ્યક્તિગત સ્તર પર સિક્કિમ નું ઘણી હદ સુધી નિરીક્ષણ થયું.તેના કૌશલ્યનો ઉપયોગ માળખાકીય સવલતોની સુરક્ષા અને સુધારણા માટે થવો જોઇએ.

૨. ભૂકંપની સૌથી વિશેષ અસર પામેલી ચુંગથાંગ જેવી શહેરીકરણ પામી રહેલી વસાહતોના વ્યાપક વિકાસ (સંપર્ક અને સવલતો) માટે આ ભૂકંપ એક તક હોવાનું જણાય છે.

૩. પરંપરાગત મકાનો/ઘરો (જેને એકરા કહેવાય છે) તે બાંધકામોએ ભૂકંપ સામે સારી કામગીરી બજાવી છે અને તેમને ઓછું નુકસાન થયું છે. આ બાંધકામને ઉત્તેજન મળવું જોઇએ અને આ ક્ષેત્રમાં નાવીન્યકરણ દ્વારા સુવિધાપૂર્ણ અને સલામત ઘરોનું નિર્માણ થઈ શકે.

૪. ચુંગથાંગમાં થયેલા નુકસાને ખાસ કરીને જંગી રોકાણો કરનારા ઘર માલિકો માટે માનસિક સમસ્યાઓ સર્જી છે અને તેમને માનસિક સલાહની તાત્કાલિક જરૂર છે.

૫. વિવિધ શાળાની ઇમારતોમાં થયેલા નુકશાનેબાળકોમાં ભયની લાગણી પેદા કરી છે.આ ભયની વાતો સાંભળવા કરતા વધારે ડહાપણભર્યું એ છે કે ભૂકંપ અંગેના પ્રશિક્ષણની તકો ઉભી કરવામાં આવે.

૬. સિક્કિમની આપત્તિ એક તક છે અને માત્ર સુરક્ષાના દ્રષ્ટિકોણથી જ નહીં, બલકે ભારતીય ઉપખંડના ઉત્તર પૂર્વ ક્ષેત્રની વિકાસ જરૂરિયાતોના સંદર્ભમાં પણ સહિયારા શાસનના ઉદાહરણ તરીકે દર્શાવી શકાય.

દ્વારા [સ્વીકૃતિ સાથે]

શ્રી. ચંદ્રા ભાકુની, સ્ટ્રક્ચરલ ઇજનેર, ક્વેકસ્કૂલ કન્સલ્ટિંગ
[મનુ અને તેની સીડ્સની દિલ્હી ટીમ, લોકલ ડીઓયુ યુનિટમાંથી શ્રીમતી રિન્કુ વઢેરા, આર્કિટેક્ટ્કસ ઑફ સિક્કિમ ખાતે શ્રી. પ્રશાંત પ્રધાન, ટી.શેરિંગ (શાળા શિક્ષક), સોહેલ દા (અધ્યાપક, સિક્કિમ યુનિવર્સિટી), કર્નલ વાઢેરા, કર્નલ વિશાલ અને ક્વેકસ્કુલ ટીમ તેમજ યાત્રા દરમ્યાન મળેલ મિત્રો નો હું લાગણીસભર આભાર વ્યક્ત કરું છું..]

***