શુક્રવાર, 16 ડિસેમ્બર, 2011

૧૮ સપ્ટેમ્બર ના ભૂકંપ પછીની સિક્કિમ યાત્રા

મારી સિક્કિમની બીજી મુલાકાત આ વખતે રાજ્યના પાટનગર ગંગટોક પૂરતી જ મર્યાદિત રહી હતી. સૌથી મહત્વનું કાર્ય છેલ્લી મુલાકાત દરમ્યાન શોધેલી નુકસાન પામેલી શાળામાં પુન:સ્થાપનની કામગીરી શરૂ કરવાનું હતું.શાળા સલામતીની અમારી લાંબા ગાળાની કાર્યસૂચીનો આ એક એવો ભાગ હતો કે જેમાં શાળાઓના પુન:નિર્માણ દ્વારા અમે નીચેના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માગીએ છીએ

૧. હયાત શાળાઓની ઇમારતો મજબૂત કરવી

૨. શાળાઓની ઇમારતોમાં સલામતી અને સુલભતાના વિચારોનો પરિચય કરાવવો અને તેનું સંકલન કરવું

૩. સ્થાનિક સરકાર સહિતના વિવિધ વપરાશકર્તા જૂથો માટે પ્રસારણ કાર્યક્રમો હાથ ધરવા

શરૂઆતમાં અમે લ્યુંમ્સી જુનીયર શાળા માં અમારું કામ શરૂ કર્યું હતું જે ગંગટોક ના શહેરી વિસ્તારની હદમાં આવેલી છે અને તેના બે વર્ગખંડોને નુકશાન થયું છે.વિચાર ફક્ત નુકશાન થયેલી શાળાની ઈમારત નું સમારકામ અને મજબૂતાઈ જ નહીં પરંતુ મજુરો ની રેટ્રોફિટીંગ ની તાલીમ ની તક ઝડપી લેવાની પણ હતી .મેં અને રહેમાને(સિડ્સ ટીમ માંથી) રૂબરૂ મુલાકાતો અને ચર્ચા-વિચારણા કરીને, સાઈટ પરથી ચિત્રો અને રેખાંકનો સહિતની જરૂરી માહિતી એકઠી કરી હતી

મારી પ્રથમ મુલાકાત દરમ્યાન ના ઝડપી દ્રશ્યાત્મક સર્વે અને સિડ્સ ના સભ્યો દ્વારા અન્ય સંબંધિત મુલાકાતો પછી આ શાળા નક્કી કરવામાં મદદ રહી હતી.લ્યુંમ્સી નો પ્રવેશ યોગ્યતા વિભાગ એ શાળા અને અન્ય જૂથો માટે શાળાની મુલાકાત અને સંપર્ક માટે યોગ્ય છે.તાજેતરમાં, અમે નાની ટીમ નક્કી કરીને અમારી જુનિયર શાળાની કામગીરીની માર્ચ ૨૦૧૨ ના અંત સુધીની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છીએ.સિડ્સ ના પગાર ધોરણથી રાખી અને ડી.એ માંથી બે મજુરો ટૂંક સમયમાં અમારી સાથે જોડાઈ જશે

લ્યુંમ્સી શાળાના ફોટાઓ અહી
ઉપલબ્ધ છે

Lumsey Junior High School (Link to Picasa album)



આ ઉપરાંત, મેં અન્ય સંસ્થાઓ એ ભૂકંપ પછી હાથ ધરેલી કામગીરીની નોંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. અખબારી અહેવાલો અને અહીંના સાથીદારોની ચર્ચા પરથી જણાયું હતું કે, વહીવટીતંત્ર અને નાગરિક સમાજ હજુ પણ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને અન્ય ગ્રાન્ટ્સના વ્યાપક ફંડની રાહ જોઈ રહ્યા હતા.મને બધા સ્તરે ભૂકંપની સ્થિતિ ના પ્રતિભાવ સંબંધિત રસપ્રદ ચર્ચા થતી જોવા મળી જેને રાજ્યએ ભવિષ્યમાં અપનાવવી જોઈએ. બેઠકો અને પરિષદોમાં પેટા નિયમો અને માળખાકીય જોગવાઈઓમાં સુધારણા ના ઉદ્દેશ ની ચર્ચાઓ પણ થતી સંભળાતી હતી

સિક્કિમ ૬૦૦,૦૦૦ ની વસ્તી ધરાવતો સુસંગઠિત સમાજ છે.રાજ્યમાં તમામ લોકો ભૂકંપ પછીના પરિણામ ની સ્થિતિ થી પરિચિત છે અને તેમને એકબીજા માટે સહાનુભુતિ છે.નગર જેમ કે ચુંગથાંગમાં મકાનમાલિકોને ભારે નુકશાન સહન કરવું પડ્યું હતું. સરકાર દ્વારા પુનર્વસન માટે વાજબી વળતર ની મહેરના રૂપમાં આ કિસ્સામાં ૫૦,૦૦૦ રૂપિયા,એ સિક્કિમ જેવા સ્થળ માટે પૂરતા તર્કસંગત નથી

એ કમનસીબ છે કે ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યો પૈકી એક એવું સિક્કિમ તેના લોકોને બિલ્ડીંગ સુરક્ષા જાગરૂકતા અને બાંધકામ ટેકનોલોજી ના રૂપમાં કોઈ પણ ટેકનિકલ મદદ માટે તૈયાર નથી. અને/અથવા માર્ગદર્શન કે જે તેમને તેમના જીવન અને જીવન શૈલીમાં આવેલા આ વિશાળ ભંગાણનો સામનો કરવામાં મદદ કરે તે જરૂરી છે- જે સમય ની માંગ છે

***
દ્વારા લેખિત : ચંદ્રા ભાકુની

ચકાસણી અને સમીક્ષા: પ્રતુલ અહુજા, શ્રુતિ નાયર, સ્મૃતિ સારસ્વત