આપણો ભારત દેશ ખૂબ વિશાળ છે. અને તેમાં વસ્તીવધારો એ આજના સમયની ખૂબ મોટી સમસ્યા છે.જેના કારણે દરેક જગ્યાએ ફ્લેટો, મોલો,બંગ્લોઝ વગેરેનું પ્રમાણ વધતું જાય છે.જેના કારણે જમીનનો અભાવ થતો જાય છે.જેથી દરેક જગ્યાએ ગીચો-ગીચ ટ્રાફિક, પાર્કિંગ, પ્રદૂષણની સમસ્યાઓ વધતી જાય છે.
અમદાવાદ એક મેગાસીટી બની રહ્યું છે.અમદાવાદમાં કુલ ૨૩૨૩ શાળાઓ છે. (ગુજરાત રેવેન્યુ ડીપાર્ટમેન્ટ).એમાં લગભગ ૫૨% ટકા શાળાઓ પાસે ખુલ્લા મેદાન નથી.(ઇન્ડિયા ટુ ગેધર ) બ્રિટીશ અભ્યાસ મુજબ ૬૦ થી ૮૦ ટકા ઈજા બાળકોને શાળાઓના મેદાનમાં થાય છે. (ફાઈન્ડ આર્ટિકલ)
બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક ઓસ્ટ્રેલીયન અભ્યાસ મુજબ જો બાળકોને સહઅભ્યાસ્ક પ્રવુતિ કરવામાં ન આવે તો બાળકો માનસિક તાણનો ભોગ બને છે. અને જેનું પ્રમાણ ૮.૪ ટકા છે.(મેડીસીન નેટ)
મેદાન બાળકોના શારીરિક તેમજ માનસિક રીતે આગળ વધવા પ્રેરણા આપે છે. જેના કારણે સુષુપ્ત શક્તિઓ પણ જાગૃત થાય અને આવા જાગૃત બાળકો પોતાની શાળાનું ગૌરવ વધારે છે.
મેદાન જોખમી પરિસ્થિતિઓમાં ખૂબ ઉપયોગી છે. જો શાળામાં મેદાન ના હોય તો, શાળાના સંચાલકે પાર્ટી-પ્લોટ, બગીચા અથવા કોઈ ખાલી મેદાનની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી બાળકોની સુરક્ષાનું આશ્વાસન રહે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો